કિશનગઢ અને પાર્લાવાળા પૂ. પા. ગોસ્વામી શ્રીશ્યામમનોહરજીના એક વચનામૃતમાં આપે આજ્ઞા કરેલ, કે જે વૈષ્ણવ ષોડશગ્રંથ અને ૮૪ - ૨૫૨ વૈષ્ણવ ની વાર્તાઓને એકમેક કરીને બે વર્ષ સુધી અવગાહન કરશે એના ૮૦ % સંપ્રદાય સંબંધિત પ્રશ્નોના ઉત્તર મળી જશે. પૂજ્ય બાવાશ્રીની આજ્ઞાને શિરોમાન્ય કરીને, એમના આશીર્વાદ લઈને, ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની લીલોપદેશ રૂપ વાર્તાઓ સંબંધિત મેં ચાર ભાગ ગુરુકૃપાથી લખ્યા. એમાં નિર્દેશ કર્યો છે તેમ, શ્રીમહાપ્રભુજીની ષોડશગ્રંથની વાણી ત્રણ પહેલુઓમાં છે. પ્રથમ પહેલુમાં વાણી નો અર્થ છે, બીજા પહેલુમાં ગુઢાર્થ કે ભાવ સમાવિષ્ટ છે અને ત્રીજા પહેલુમાં નિગૂઢાર્થ, જેમાં ભગવત્ લીલાઓને શ્રીઆચાર્યચરણે આવરી લીધી છે. વાસ્તવમાં તો, શ્રીમહાપ્રભુજી ની અખિલ વાણી, ઠાકુરજીની નિત્યલીલામાંથી શાસ્ત્રાર્થરૂપે તારવેલ છે. આચાર્યચરણની વાણીનો લીલોપદેશ વાર્તાઓમાં છે. આવા ચતુરંગ પહેલુ સાથે રમણ કરવાનો મને જે આહ્લાદ્ મળ્યો છે, એ જ આનંદને, વૈષ્ણવસૃષ્ટિ સાથે share કરવા કે માણવા માટે મેં આ છ ભાગ લખ્યા છે.
મારા આ પુસ્તકો દ્વારા સ્થળવિશેષ પર, મેં શ્રીસર્વોત્તમજી અને શ્રીનામરત્નાખ્યના નામની સંગતિ પ્રગટ કરી છે. તેમજ અખિલ શિક્ષાપત્રની ષોડશગ્રંથમાં લહાણી કેવી રીતે થઈ છે, એને પણ નિહાળવાનો મેં યથામતિ પ્રયાસ કર્યો છે. અષ્ટસખા અને અન્ય ભગવદીઓના કીર્તનોમાં, શ્રી મહાપ્રભુજીના પ્રગટ કરેલા વિવિધ ભાવો, વિવિધ છટાથી જે ગુંજારવ કરી રહ્યા છે એને માણવાનો પણ અહીં મારો નમ્રપ્રયાસ છે.
તદુપરાંત, શ્રીમહાપ્રભુજી ની વાણીના રહસ્યોને ભગવદીઓએ કીર્તનોમાં કેવી રીતે પ્રતિબિંબિત કર્યા છે, એને મારી નાનીશી સમજ પ્રમાણે, "ષોડશ ગીતી" નામની MP૩ માં પેશ કરવાનો નમ્રપ્રયાસ કર્યો છે. તેમજ "અતોસ્તુ તવ લાલના" નામની MP૩, શ્રીમહારાણી માની લાલનાનું યશોગાન કરનારી છે. મારા પ્રાતઃસ્મરણીય ગુરુજી પૂજ્યપાદ ગોસ્વામી શ્રીદીક્ષિતજી મહારાજના વહુજી પૂ. પા. ગો. શ્રીચંદ્રાવલીવહુજીએ પ્રગટ કરેલ પ્રાચીન પદ્ધતિ મુજબની સામગ્રીઓનું "મિલ જૈવત લાડલી લાલ" નામનું આપનું પુસ્તક પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ વેબસાઈટ નું બધું જ ડાઉનલોડિંગ નિશુલ્ક અને ફ્રી છે.
મારા પ્રથમ બે ભાગ video formate માં દૃશ્યશ્રાવ્ય રૂપે પણ નીચે પ્રમાણેની link માં ઉપલબ્ધ છે.
ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૬૪ વાર્તાઓ
ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૨૮ વાર્તાઓ
अतोस्तुतवलालना
ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૧૬ વાર્તાઓ
मिल जेवत लाडिले लाल....પૂજ્યપાદ ગોસ્વામી શ્રીચંદ્રાવલીવહુજીએ લખેલ સામગ્રી બનવવાની પ્રાચીન પધ્ધતિનું અપ્રાપ્ય અને અણમોલ પુસ્તક
ષોડશ ગ્રંથગત ઉપદેશો તેમની ૧૪ વાર્તાઓ અને વલ્લભાખ્યાન ભાગ-૪
સેવા અને વાર્તાઓના સુકોમલ ભાવો ભાગ - ૫
અતોસ્તુ તવ લાલના (યમુનાષ્ટકના નવ શ્ર્લોકોના ભાવને સમજાવતાં યમુનાજીના ૪૧ પદોમાંથી નવ પદ આ સી ડી માં ગાયેલા છે અને એનો વિશેષ ભાવપ્રકાશ એની સાથેની પુસ્તિકામાં કરેલ છે. આ સી ડી મહારાણીમાની લાલના રૂપે છે.)
ષોડશગિતિ